
નસવાડી તાલુકાની અશ્વિન અને મેણ નદીમાં નવા નીર આવ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકામાં ગત રાત્રિ દરમિયાન પડેલા વરસાદના કારણે અશ્વિન અને મેણ નદીમાં નવા નીર આવ્યા છે.નસવાડી તાલુકાના ઉપરવાસમાંથી નીકળતી બે નદીઓમાં વરસાદ થવાના કારણે નવા નીર આવ્યા છે.સારો વરસાદ થવાના કારણે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ખેતીલાયક વરસાદ થવાના કારણે ધરતીપુત્રોમાં હવે નવી ખેતીના કામમાં જોડાયા છે.ચોમાસાની ઋતુની સીઝન શરૂ થઈ ગઈ છે. વરસાદનું આગમન થઈ ગયુ છે. ગત રાત્રિ દરમિયાન પડેલા વરસાદના કારણે નદી નાળાઓમાં પાણી ભરાયા છે.જેથી હવે ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે.



