
છોટાઉદેપુર
કારોબારી ચેરમેન રાજેશ રાઠવાની કલેકટરને બ્રિજ બાબતે રજૂઆત
NH-56 પર છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતા ઓરસંગ નદી ઉપર આવેલ બ્રીજ જર્જરીત હોવાથી ભારે વાહનો ની અવર-જવર બંધ કરવા કારોબારી ચેરમેન રાજેશભાઈ રાઠવાનું કલેક્ટર ને આવેદન
છોટાઉદેપુર જીલ્લામાંથી પસાર થતો NH-56 જે છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતા ઓરસંગ નદી ઉપર આવેલ બ્રીજ હાલમાં ખુબજ જર્જરીત થઇ ગયેલ છે.જે હાલમાં ગુજરાત રાજ્યમાં અનેક જગ્યા બ્રીજ તુટવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં ઘણા નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા છે. જેથી જીલ્લામાંથી પસાર થતો NH-56 ઓરસંગ નદી પર આવેલ બ્રીજ પર પસાર થતા ભારે વાહન બંધ કરવામાં આવે તો આકસ્મિત દુર્ઘટના ટાળી શકાય તેમ જણાય છે.જેથી NH-56 ઓરસંગ નદી પર આવેલ બ્રીજ પરથી પસાર થતા ભારે વાહનો તાત્કાલિક ધોરણે બંધ કરવા છોટા ઉદેપુર તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન રાજેશભાઈ રાઠવા એ જિલ્લા કલેક્ટર ને આવેદન આપી રજૂઆત કરી હતી



